દિલ્હી હાઈકોર્ટે એક કેસમાં જણાવ્યું હતું કે, બળાત્કારનો ગુનો એ મહિલાઓ સામેના સૌથી ઘૃણાસ્પદ અપરાધો પૈકીનો એક છે, પરંતુ કેટલાક લોકો તેના પુરૂષ સમકક્ષોને બિનજરૂરી રીતે હેરાન કરવા માટે તેની વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે.
દેશમાં મહિલાઓને લઈને કાયદા કડક બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ બીજી તરફ આ કાયદાઓને દૂરુપયોગ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે બળાત્કાર એ મહિલાઓ સામેના સૌથી ઘૃણાસ્પદ અપરાધો પૈકીનો એક છે, પરંતુ કેટલાક લોકો તેના પુરૂષ સાથીઓને બિનજરૂરી રીતે હેરાન કરવા માટે તેના સાથે સંબંધિત કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. આ સાથે જ કોર્ટે એક વ્યક્તિ વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરી છે. આ વ્યક્તિએ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેની સાથે સંબંધમાં રહેલી સ્ત્રી પર જાતીય હુમલો કરવા બદલ તેની સામે નોંધાયેલ FIR રદ કરવાની વિનંતી કરી હતી. કોર્ટે કહ્યું કે એફઆઈઆર પાછળથી આવેલા વિચારો પર આધારિત છે.
હાઈકોર્ટે કહ્યું કે મેજિસ્ટ્રેટ સમક્ષ રેકોર્ડિંગ, વોટ્સએપ ચેટ અને નિવેદનોથી સ્પષ્ટ છે કે બળાત્કાર સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી. સ્ત્રી અને પુરુષ વચ્ચે સહમતિથી શારીરિક સંબંધો હતા. લગ્નના ખોટા વચન પર આ સંબંધ નથી બન્યો. જસ્ટિસે કહ્યું કે એ સાચું છે કે જે જોગવાઈ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તે મહિલાઓ વિરુદ્ધના સૌથી જઘન્ય અપરાધોમાંથી એક છે. જો કે, તે પણ એક સ્થાપિત હકીકત છે કે કેટલાક લોકો બિનજરૂરી રીતે તેમના પુરૂષ સાથીને હેરાન કરવા માટે તેનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે.
કોર્ટે કહ્યું કે આ કેસ એક અનોખું ઉદાહરણ છે કે કેવી રીતે એક નિર્દોષ વ્યક્તિને દંડની જોગવાઈના દુરુપયોગને કારણે અયોગ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કોર્ટને લાગે છે કે જો કેસની સુનાવણી ચાલુ રહેશે તો પણ કંઈ બહાર આવશે નહીં.
આરોપીના વકીલે જણાવ્યું હતું કે અરજદાર અને ફરિયાદી અગાઉ સંબંધમાં હતા. તેઓએ સહમતિથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. વકીલે કહ્યું કે કેટલાક મતભેદોને કારણે આરોપી અને ફરિયાદીએ એકબીજા સાથે લગ્ન કર્યા ન હતા અને બાદમાં આરોપીઓ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો.































