વડોદરાના વરણામા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંતો તથા વિદ્યાર્થીઓએ અમદાવાદની વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આત્માઓને ભગવાન શ્રી સ્વામિનારાયણ શાશ્વત શાંતિ અર્પે, પરિવાર પર અચાનક આવી પડેલ દુઃખને સહન કરવાની ધીરજ અર્પે તેવી વ્યથિત હૃદયે પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
અમદાવાદથી લંડન જઈ રહેલ વિમાન ક્રેશ થતાં મૃત્યુ પામેલા આત્માઓને સ્વામિનારાયણ ભગવાન શાશ્વત શાંતિ અર્પે, પરિવાર ઉપર અચાનક આવી પડેલ દુઃખને સહન કરવાની ધીરજ અર્પે તેવી પ્રાર્થના સંતો તથા વિદ્યાર્થીઓએ કરી હતી.
વડોદરાના વરણામા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંતો તથા વિદ્યાર્થીઓએ શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે બેસીને જનમંગલ સ્તોત્રના પાઠ કર્યા હતા. તથા સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ જીવાત્માઓને ભગવાન શાંતિ અર્પે તે અર્થે હૃદય પૂર્વક પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ આપી હતી.
પ્રાર્થના પૂર્વે શ્રી પ્રભુ સ્વામીએ વિદ્યાર્થીઓને વાત કરતા કહ્યું હતું કે આજે બપોરે 1:40 કલાકે અમદાવાદથી લંડન જતું વિમાન ક્રેશ થતાં 230 જેટલા પેસેન્જર અને 9 ક્રૂ મેમ્બરો મૃત્યુ પામ્યા છે.. વિમાન ઈન્ટર્ન ડોક્ટરોની હોસ્ટેલ ઉપર જ ક્રેશ થતા 50થી 60 ડોક્ટરો પણ અકસ્માતનો ભોગ બન્યા છે. સાવધાની હતી છતાં દુર્ઘટના ઘટી છે ત્યારે પરહિતકાજે કરાયેલ આપણી પ્રાર્થના પરિસ્થિતિ સામે લડવાનું તથા ધીરજતા આપવાનું , દુઃખને સહન કરવાનું બળ આપે છે,એમ પ્રભુ સ્વામીએ કહ્યું હતું..
