Vadodara News Network

મહાકુંભમાં મૌની અમાસની દુર્ઘટના બાદ તંત્ર સતર્ક, વસંત પંચમી પર અમૃત સ્નાન માટે ખાસ વ્યવસ્થા

Mahakumbh Vasant Panchami : આજે એટલે કે રવિવારે દેશભરમાં વસંત પંચમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મહાકુંભમાં પણ વહીવટી તંત્રએ વસંત પંચમીના અમૃતસ્નાનની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, વસંત પંચમીના અવસર પર દેશ અને દુનિયામાંથી લગભગ 3 કરોડ ભક્તો મહાકુંભમાં અમૃત સ્નાન કરશે. મૌની અમાવસ્યા નિમિત્તે થયેલી નાસભાગમાંથી શીખીને વહીવટીતંત્રે ટ્રાફિક, સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપનની વ્યવસ્થામાં સુધારો કર્યો છે.

વસંત પંચમી નિમિત્તે અમૃત સ્નાન માટે લોકોની ભીડ ઉમટી પડી છે. અમૃત સ્નાન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. વસંત પંચમીનો તહેવાર આજે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. વસંત પંચમીની તારીખ 2જી ફેબ્રુઆરીએ સવારે 9.14 કલાકે શરૂ થશે. તારીખ 3 ફેબ્રુઆરીએ સવારે 6:52 કલાકે પૂર્ણ થશે. 2ના રોજ વસંત પંચમીનો તહેવાર ઉજવાશે. જો કે ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાકુંભનું અમૃત સ્નાન બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવે છે. તેથી વસંત પંચમીનું અમૃત સ્નાન 3જી ફેબ્રુઆરીએ થશે.

વસંત પંચમી પહેલા CMએ લીધી મુલાકાત

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved