Vadodara News Network

ત્રણ મહિનામાં બીજી વખત ઉત્તર ગુજરાતની ધરા ધ્રૂજી:બનાસકાંઠામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ, પાલનપુરથી 34 કિ.મી. દૂર કેન્દ્રબિંદુ, લોકોમાં ગભરાટ ફેલાયો

બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુર શહેરથી 34 કિલોમીટર ઉત્તર દિશામાં નોંધાયું હતું.

ભૂકંપના આંચકાને કારણે ઈકબાલગઢ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, રાહતની વાત એ છે કે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે માલ-મિલકતને નુકસાન થયાનો કોઈ અહેવાલ નોંધાયા નથી.

 

ઉલ્લેખનીય છે કે, આજથી ત્રણ મહિના પહેલા પણ ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આચકો આવ્યો હતો. ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં અનુભવાયા હતા. જેનું પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં કેન્દ્ર બિંદુ હતું. રાત્રે 10.16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમે આને અપડેટ કરી રહ્યા છીએ…

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ:અમદાવાદ વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સંતો અને વિદ્યાર્થીઓની ભગવાન સ્વામી નારાયણને પ્રાર્થના કરી

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved