Vadodara News Network

RBIએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો:રિઝર્વ બેંકે સતત બીજી વખત વ્યાજ દરમાં 0.25% ઘટાડો કર્યો, હવે 6.0% થયો; લોન સસ્તી થઈ શકે છે, EMI પણ ઘટશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ રેપો રેટ 0.25% ઘટાડીને 6% કર્યો છે. પહેલા તે 6.50% હતો. એટલે કે, આગામી દિવસોમાં લોન સસ્તી થઈ શકે છે. તમારો EMI પણ ઘટશે

RBIએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો:રિઝર્વ બેંકે સતત બીજી વખત વ્યાજ દરમાં 0.25% ઘટાડો કર્યો, હવે 6.0% થયો; લોન સસ્તી થઈ શકે છે, EMI પણ ઘટશે

 

મુંબઈ7 મિનિટ પેહલા

 

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 9 એપ્રિલે સવારે 10 વાગ્યે વ્યાજ દરમાં ઘટાડા અંગે માહિતી આપી હતી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ રેપો રેટ 0.25% ઘટાડીને 6% કર્યો છે. પહેલા તે 6.50% હતો. એટલે કે, આગામી દિવસોમાં લોન સસ્તી થઈ શકે છે. તમારો EMI પણ ઘટશે

 

 

RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે ​​9 એપ્રિલે સવારે 10 વાગ્યે નવા નાણાકીય વર્ષમાં આરબીઆઈની પ્રથમ મોનેટરી પોલિસી કમિટીની બેઠકના નિર્ણયો વિશે માહિતી આપી. આ બેઠક 7 એપ્રિલના રોજ શરૂ થઈ હતી.

 

આ વર્ષે ફેબ્રુઆરીમાં, RBIએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો હતો

 

ફેબ્રુઆરીમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. અગાઉ, ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2024-25ની છેલ્લી બેઠકમાં, RBIએ વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કર્યો હતો. ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં વ્યાજ દર 6.5% થી ઘટાડીને 6.25% કરવામાં આવ્યા હતા. આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી કરવામાં આવ્યો હતો.

 

રેપો રેટમાં ઘટાડાથી કયા ફેરફારો થશે?

 

રેપો રેટ ઘટ્યા પછી, બેંકો હાઉસિંગ અને ઓટો જેવી લોન પરના વ્યાજ દરો પણ ઘટાડી શકે છે. તમારી બધી લોન સસ્તી થઈ શકે છે અને EMI પણ ઘટશે. જો વ્યાજ દર ઘટશે, તો મકાનોની માંગ વધશે. વધુ લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકશે.

 

રેપો રેટ શું છે, તે લોન કેવી રીતે સસ્તી બનાવે છે?

 

RBI બેંકોને જે વ્યાજ દરે લોન આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટમાં ઘટાડાને કારણે બેંકને ઓછા વ્યાજ દરે લોન મળશે. બેંકોમાંથી લોન સસ્તી મળે છે, તેથી તેઓ ઘણીવાર આ લાભ તેમના ગ્રાહકોને આપે છે. એટલે કે, બેંકો પણ તેમના વ્યાજ દર ઘટાડે છે.

રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો અને ઘટાડો શા માટે કરે છે?

 

કોઈપણ કેન્દ્રીય બેંક પાસે પોલિસી રેટના રૂપમાં ફુગાવા સામે લડવા માટે એક શક્તિશાળી ટુલ હોય છે. જ્યારે ફુગાવો ખૂબ વધુ હોય છે, ત્યારે કેન્દ્રીય બેંક પોલિસી રેટ વધારીને અર્થતંત્રમાં મની ફ્લો ​​​​​​ઘટાડવાનો પ્રયાસ કરે છે.

 

જો પોલિસી રેટ વધુ હશે તો બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન મોંઘી થશે. બદલામાં, બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી કરે છે. આનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઓછો થાય છે. જ્યારે નાણાંનો પ્રવાહ ઘટે છે, ત્યારે માંગ ઘટે છે અને મોંઘવારી ઘટે છે.

 

તેવી જ રીતે, જ્યારે અર્થતંત્ર ખરાબ તબક્કામાંથી પસાર થાય છે, ત્યારે રિકવરી માટે મની ફ્લો વધારવાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય બેંક પોલિસી રેટ ઘટાડે છે. આના કારણે, બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન સસ્તી થાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે.

 

ગવર્નરે 5 મોટી વાતો કહી…

 

RBI MPCએ સર્વસંમતિથી રેપો રેટ 0.25% ઘટાડીને 6% કરવાની તરફેણ કરી.

RBI MPCએ તેના વલણને ન્યુટ્રલથી બદલીને અનુકૂળ બનાવવાનો નિર્ણય કર્યો.

ટ્રેડ ફ્રિક્શનના કારણે વૈશ્વિક ગ્લોબલ ગ્રોથ પર અસર પડવાથી ડોમેસ્ટિક ગ્રોથ પણ અવરોધાશે.

હાઈ ટેરિફની નેટ એક્સપોર્ટ પર નકારાત્મક અસર પડશે. મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિમાં સુધારાના સંકેતો છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો મોંઘવારીને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરશે.

NPCIને ગ્રાહકથી વેપારી UPI ટ્રાન્જેક્શનની લિમિટ નક્કી કરવાનો અધિકાર આપવામાં આવશે.

હાલમાં, વ્યક્તિ-થી-વેપારી ચુકવણીની મર્યાદા 2 લાખ રૂપિયા છે.

ગોલ્ડ લોન અંગે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.

જાણો મોંઘવારીના આંકડા શું કહે છે?

 

કઠોળ અને શાકભાજી સસ્તા થવાને કારણે ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારીનો દર ઘટીને 3.61% પર આવી ગયો છે. આ મોંઘવારીનો 7 મહિનામાં સૌથી નીચો સ્તર છે. જુલાઈ 2024માં મોંઘવારીનો દર 3.54% હતો.

જ્યારે જાન્યુઆરી 2025માં મોંઘવારીનો દર 4.31% હતો. RBIની મોંઘવારી અંગેની રેન્જ 2%-6% છે.

 

ફેબ્રુઆરી મહિનામાં જથ્થાબંધ મોંઘવારી વધીને 2.38% થઈ. જાન્યુઆરીની શરૂઆતમાં ફુગાવાનો દર 2.31% હતો. ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે મોંઘવારી વધી છે.

 

સામાન્ય રીતે RBIની બેઠક દર બે મહિને યોજાય છે

 

મોનેટરી પોલિસી કમિટીમાં 6 સભ્યો હોય છે. આમાંથી 3 RBI ના છે, જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. સામાન્ય રીતે RBIની બેઠકો દર બે મહિને યોજાય છે.

 

હાલમાં, રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે મોનેટરી પોલિસી કમિટીની બેઠકોનું સમયપત્રક જાહેર કર્યું હતું. આ નાણાકીય વર્ષમાં કુલ 6 બેઠકો યોજાશે. પહેલી બેઠક 7-9 એપ્રિલના રોજ યોજાઈ છે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved