કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2024માં પેન્શનને લઈને મોટો નિર્ણય લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપી હતી. હવે જૂની અને નવીની જગ્યાએ UPS શરૂ કરવામાં આવશે. આજે કેન્દ્ર સરકારે આ વિશે 15 પેજનું ગેઝેટ જાહેર કરી દીધું છે.
હવે જૂની અને નવી પેન્શન યોજનાને બદલે UPS શરૂ કરવામાં આવશે. જે મુજબ કમસે કમ 25 વર્ષની નોકરી પછી બેઝિક પેમેન્ટના 50% રકમ UPS હેઠળ મળશે એટલે કે આ રકમ પેન્શન તરીકે આપવામાં આવશે. 10 વર્ષની સર્વિસ પછી, ઓછામાં ઓછા 10 હજાર રૂપિયા પેન્શન તરીકે મળશે.
કેન્દ્ર સરકારે નવી પેન્શન સ્કીમ વિશેનો નિર્ણય લીધો ત્યારે અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આ નવી પેન્શન યોજનાથી કેન્દ્ર સરકારના 23 લાખ કર્મચારીઓને ફાયદો થશે. આ યોજના 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને UPS વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
હાલના કેન્દ્ર સરકારના NPS કર્મચારીઓનને પણ UPS પર સ્વિચ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. નોંધનીય છે તે માર્ચ-2024માં સરકારે NPS સુધારવા માટે એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ દેશ અને દુનિયાની ઘણી પેન્શન યોજનાઓનો અભ્યાસ કર્યો હતો.
24મી ઓગસ્ટના રોજ સાંજે 7.30 વાગ્યા હતા. કેન્દ્રીય વિદ્યાલયમાં સરકારી શિક્ષક મનોજ શર્મા તેની પત્ની સાથે ચા પી રહ્યા હતા ત્યારે એક બ્રેકિંગ ન્યૂઝ આવ્યા. મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ની જાહેરાત કરી છે. મનોજ હાલમાં ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે NPSમાં કન્ટ્રિબ્યૂટ કરે છે. સરકારની નવી જાહેરાતે મનોજના મનમાં અનેક સવાલો ઊભા કર્યા. ઉદાહરણ તરીકે, યુનિફાઇડ પેન્શન સ્કીમ હાલની NPSથી કેટલી અલગ છે, તેમના માટે શું ફાયદાકારક છે, શું નવી સ્કીમમાં કોઈ ગૂંચવણો છે?
કેન્દ્રીય વિદ્યાલયના સરકારી શિક્ષક મનોજ શર્મા ડ્રોઈંગરૂમમાં બેસીને મોબાઈલ કેલ્ક્યુલેટર પર કેટલીક ગણતરીઓ કરી રહ્યા છે. યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ની જાહેરાતના 3 દિવસ પછી પણ તેઓ નક્કી કરી શક્યા નથી કે તેમના માટે કઈ સ્કીમ વધુ સારી રહેશે.
