વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આજે તેઓ વિસાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે.
ગોપાલ ઇટાલિયાનો આજનો પ્રવાસ કાર્યક્રમ સવારે માંડાવડ માર્કેટિંગ યાર્ડથી શરૂ થયો છે. ત્યાર બાદ તેઓ વિસાવદર સરદાર ચોક અને આંબેડકર ચોકની મુલાકાત લેશે. બપોરે સતાધાર ધામ જશે. બપોર પછી કાલસારી, ભલગામ, ચુડા અને ચણાકા ગામોમાં પ્રચાર કરશે. રાત્રે 8 વાગ્યે મોટા કોટડા ગામે જાહેરસભા સંબોધશે.
87-વિસાવદર-ભેસાણ વિધાનસભા બેઠક પર હવે ત્રિપાંખિયો જંગ જામશે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કડાકેદાર ચૂંટણી જંગ જોવા મળશે.
હિતેશ સાવલિયાએ જણાવ્યું હતું કે,ભુપત ભાયાણી સો ટકા આમ આદમી પાર્ટીમાં હતા, પરંતુ તેને ક્યારેય અંદરથી આમ આદમી પાર્ટીમાં હોવાનું વિચાર્યું ન હતું. તેને માત્ર ભાજપની ગુલામી સ્વીકારી હતી ત્યારે અમને આ વાતનો કોઈ રંજ નથી કે ભુપત ભાયાણી ભાજપમાં ચાલ્યા ગયા, ભુપત ભાયાણી ગયા તો પણ અમે પૂરી તાકાતથી જ આ વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડીશું
