આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠક મળનાર છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે ફેર વિચારણા કરવામા આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગે કેબિનેટની બેઠક મળનાર છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિવાદને લઈ સરકાર દ્વારા ફેર વિચારણા કરવામાં આવશે, ઉપરાંત વિભાજન બાદ થયેલા વિવાદ અને કેટલાક વિસ્તારને બનાસકાંઠામાં સમાવવા બાબતે સરકાર સમિક્ષા કરશે. આ ઉપરાંત બજેટ સત્રની તૈયારીઓને લઈ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. અને સત્ર દરમિયાન રજૂ થનાર સરકારી વિધેયકો પર ચર્ચા થશે.
