ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમની જાહેરાત 12 જાન્યુઆરી સુધીમાં થવાની છે. પરંતુ જસપ્રિત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી રમશે કે નહીં તે પ્રશ્વ વધુ ધેરો બન્યો છે. કારણ કે તેની ઈજા અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેનું રમવું કે ન રમવું તે તેની ઈજાની સ્થિતિ પર નિર્ભર કરશે. સિડની ટેસ્ટ દરમિયાન જસપ્રીત બુમરાહની કમરમાં જકડાઈ ગઈ હતી. જેના પછી તેને રમત અધવચ્ચે છોડીને મેદાન છોડવું પડ્યું હતું અને તે પાછો ફર્યો પણ નહોતો. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ રમવાની છે.
ગ્રેડ 1 ની ઈજા
બુમરાહ જેવી ઇજાઓથી પીડિત લોકો અને તેની સારવાર કરી રહેલા ડોક્ટર્સનું કહેવું છે કે જો તે માત્ર પીઠમાં દુખાવો છે, જેમ કે ટીમ મેનેજમેન્ટ કહી રહ્યું છે, તો બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી સુધી ફિટ રહેશે. પરંતુ, સોશિયલ મીડિયા પર ફરતા કેટલાક અન્ય અહેવાલો અનુસાર જો તે ગ્રેડ 1 ની ઈજા છે તો તેણે થોડો સમય ટીમની બહાર રહેવું પડશે. બુમરાહ જેવી ઇજાઓ સાથે સંઘર્ષ કરી રહેલા ભૂતપૂર્વ ભારતીય બોલરે જણાવ્યું હતું કે બધું જ ઇજાની અંતિમ તપાસ પર નિર્ભર રહેશે. જો સ્ટ્રેસ ફ્રેક્ચર નહીં થાય તો બુમરાહ જાન્યુઆરીના અંત સુધીમાં મેદાનમાં પરત ફરશે. મતલબ કે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમતા જોવા મળી શકે છે.
6 મહિના માટે બહાર
ભારતના ભૂતપૂર્વ ટ્રેનર રામજી શ્રીનિવાસને, જેમણે બુમરાહ જેવી ઇજાઓનો સામનો કર્યો છે, તેમણે જણાવ્યું કે તેઓ સંમત છે કે જો બુમરાહ માત્ર સખત હશે, તો તે સમયસર ફિટ થઈ જશે. તેણે કહ્યું કે ઓસ્ટ્રેલિયાથી ઉડાન ભરતા પહેલા બુમરાહ વધારે મુશ્કેલીમાં હોય તેવું લાગતું નથી. પરંતુ હું નિશ્ચિતપણે કશું કહી શકતો નથી. કારણ કે જો ઈજા ગ્રેડ 1 થી ગ્રેડ 3 નું સ્ટ્રેસ ફ્રેક્ચર હોય, તો તેને સાજા થવામાં 6 મહિના જેટલો સમય લાગી શકે છે.