Vadodara News Network

હાશ.. હવે ATMથી ઉપાડી શકાશે PFના પૈસા!:EPFO 3.0માં કર્મચારીઓને જૂન 2025થી અનેક સુવિધાઓ આપવાની સરકારની યોજના

કેન્દ્ર સરકાર એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)માં મોટા ફેરફારોની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, EPFO ​​3.0ના ડ્રાફ્ટ અનુસાર, હવે કર્મચારીઓને ATMમાંથી સીધા પીએફ ફંડ ઉપાડવાની સુવિધા આપવા પર વિચારણા ચાલી રહી છે.

એવું માનવામાં આવે છે કે આ સુવિધા આવતા વર્ષે જૂનથી શરૂ થઈ શકે છે, પરંતુ એના દ્વારા માત્ર એક નિશ્ચિત રકમ જ ઉપાડી શકાશે. આનો અર્થ એ થશે કે કર્મચારી કટોકટી માટે પૈસા ઉપાડી શકશે, પરંતુ નિવૃત્તિ પછી પણ ખાતામાં પૂરતી રકમ રહેશે.

એ જ સમયે EPFમાં કર્મચારી દ્વારા વર્તમાન 12% યોગદાન વધારવા પર પણ વિચારણા ચાલી રહી છે. હાલમાં કર્મચારી તેના મૂળ પગાર, મોંઘવારી ભથ્થા અને જાળવી રાખવાના ભથ્થાના 12% ફાળો આપે છે, જેમાંથી 8.33% પગાર પેન્શન ફંડમાં અને 3.67% EPFમાં જાય છે.

કર્મચારીઓ પેન્શન યોજનામાં પણ યોગદાન વધારી શકશે

  • કેન્દ્ર સરકારે પેન્શન સ્કીમ (EPS-95)માં ફેરફાર માટે પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે. આ હેઠળ કર્મચારીઓ પણ હાલમાં લાગુ 8.33% યોગદાનમાં વધારો કરી શકશે.
  • એમ્પ્લોયર (કંપની) યોગદાનમાં કોઈ ફેરફાર થશે નહીં. તેણે કર્મચારીના પગારના પ્રમાણમાં આ ચુકવણી કરવી પડશે.
  • કર્મચારી કોઈપણ સમયે યોગદાન અને પેન્શન ફંડને ટોપ અપ કરવાની સુવિધા મેળવી શકશે.
  • કર્મચારીને પીએફ સુવિધાઓથી વાકેફ કરવા માટે પોર્ટલને વધુ ઇન્ટરેક્ટિવ બનાવવામાં આવશે.
  1. EPFO 1.0: એકાઉન્ટ્સ મેન્યુઅલી જાળવવામાં આવતાં હતાં. અરજી અને ઉપાડ પેપરપ્રક્રિયા દ્વારા કરવામાં આવ્યાં હતાં.
  2. EPFO 2.0: EPFO ​​ડિજિટલ થઈ ગયું. ઓનલાઈન પોર્ટલ સુવિધા. કર્મચારીને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) મળ્યો.

નોકરી છોડ્યા પછી તમે એક મહિના પછી તમારા PFના 75% પૈસા ઉપાડી શકશો. PF ઉપાડના નિયમો હેઠળ જો કોઈ સભ્ય તેની નોકરી ગુમાવે છે તો તે 1 મહિના પછી PF ખાતામાંથી 75% પૈસા ઉપાડી શકે છે. આનાથી તે બેરોજગારી દરમિયાન પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે. PFમાં જમા બાકીના 25% નોકરી છોડ્યાના બે મહિના પછી ઉપાડી શકાય છે.

પીએફ ઉપાડ આવકવેરાના નિયમો જો કોઈ કર્મચારી કંપનીમાં 5 વર્ષની સેવા પૂર્ણ કરે છે અને પીએફ ઉપાડે છે, તો એના પર કોઈ આવકવેરોની જવાબદારી નથી. 5 વર્ષનો સમયગાળો એક અથવા વધુ કંપનીઓને જોડીને પણ હોઈ શકે છે. એક જ કંપનીમાં 5 વર્ષ પૂરાં કરવા જરૂરી નથી. કુલ સમયગાળો ઓછામાં ઓછો 5 વર્ષનો હોવો જોઈએ.

જો કર્મચારી 5 વર્ષ સેવા પૂર્ણ કર્યા પહેલાં પીએફ ખાતામાંથી 50 હજાર રૂપિયાથી વધુ ઉપાડે છે, તો તેણે 10% TDS ચૂકવવો પડશે. જો તમારી પાસે PAN કાર્ડ નથી તો તમારે 30% TDS ચૂકવવો પડશે. જોકે જો કર્મચારી ફોર્મ 15G/15H સબ્મિટ કરે તો કોઈ TDS કાપવામાં આવતો નથી.

Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved